કોરોના લોકડાઉન અસરગ્રસ્ત લોકો ને રાજય સરકાર કેશડોલ (રોકડ સહાય) આપે. ગુજરાત જનચેતના પાર્ટી નાં રાષ્ટ્રીય સંયૉજક મનુભાઈ ચાવડા ની માંગણી. સુરત,ગુજરાત.તા.17,4,2020, કોરોના મહામારી થી બચવા સરકાર દ્વારા લગભગ બે મહિના લોકડાઉન જાહેર કરવાનોઁ નિર્ણય કરેલ છે. આવશ્યક સેવાઓ સિવાય નાનાં ધંધા રોજગાર, હીરા-એમ્રોડરી કારખાના, પાન ગલ્લા, રીક્ષા, ટેમ્પા જેવા રોજનું પેટિયું રળવા નાં ધંધા બંધ રહેવા થી રત્નકલાકારો, મજુરો વગેરે અસરગ્રસ્તો ની આજીવિકા છીનવાઈ રહી છે. કોરોના મહામારી ને સરકાર દ્વારા ડિજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કુદરતી આફત વ્યવસ્થાપન માં લેવાનું જાહેર કરેલ છે. ત્યારે કોરોના મહામારી અંગે કરાયેલ લોકડાઉન માં આજીવિકા ગુમાવનાર અસરગ્રસ્ત લોકો નું જીવન આર્થીક રીતે ખૂબ જ દયનીય બની રહ્યુ છે. ગુજરાત સરકાર ડિજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સંદર્ભ (2) નાં ઠરાવ ફકરા- 3 મુજબ તમામ આજીવિકા ગંભીર પ્રભાવિત લોકો નું દુઃખ હળવું કરવા માટે કેશડોલ (દૈનિક રોકડ સહાય) ફાળવી આપવા ગુજરાત જનચેતના પાર્ટી માંગણી કરે છે એમ રાષ્ટ્રીય સંયૉજક મનુભાઈ ચાવડા એ અખબારી નિવેદન માં જણાવ્યું છે. ગુજરાત ની સંવેદનશીલ સરકાર લોકો નોઁ જીવન સહારો બનવા કેટલી સંવેદના દાખવશે એ જોવું રહ્યુ.


Popular posts
એપીએસી એક્ટની જોગવાઈઓ સરકારે સસ્પેન્ડ કરતાં ખેતી આધારીત ઉદ્યોગપતિઓને ખેડૂતો પાસેથી સીધી ખરીદવા વિનંતી. ●સાગરભાઈ રબારી (પ્રમુખ: ખેડૂત એકતા મંચ) ખેડૂતો ને ન્યાય કરવા સતત પ્રયત્નશીલ રહેતા ખેડૂત એકતા મંચ ગુજરાત પ્રમુખ સાગરભાઈ રબારી એ આ સંદેશ શક્ય એટલો વધુ શેર કરી કંપનીઓ સુધી પહોંચાડવામાં મદદ કરવા વિનંતી સાથે ઉદ્યોગપતિઓ ને આગ્રહ કર્યો કે, જે ઉદ્યોગ નાં લોકો તૈયાર નાસ્તાઓનાં પેકેટોના ધંધામાં છે, દા.ત. રિયલ, ગોપાલ વગેરે અને જે લોકો એગ્રો પ્રોસેસિંગના વ્યવસાયમાં છે તેમને જાહેર વિનંતી કરીએ છીએ કે એપીએસી એક્ટની જોગવાઈઓ સરકારે સસ્પેન્ડ કરી છે ત્યારે આપ સહુ ખેડૂતો પાસેથી સીધા ઘઉં-ચણા-જીરું-રાયડો વગેરે ખરીદવાનું શરુ કરો. જે ઉદ્યોગ નાં લોકો ફળોના પલ્પ અને સોસ બનાવી વેચે છે તે ખેડૂતો પાસેથી ફળો અને ટામેટા સહિતના શાકભાજી સીધા ખેડૂત પાસેથી ખરીદવાનું શરુ કરે. આ ખરીદી ટેકાના ભાવથી નીચે ના જ કરે એવી ખાસ વિનંતી. આપનો વ્યવસાય ખેત-પેદાશો આધારિત છે, હાલ ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે આપ સહુ ખેડૂતોની મદદ કરો એવી અમારી વિનંતી છે. કોઈ મુશ્કેલી હશે તો અમે શક્ય તમામ મદદ કરીશું. પરંતુ વહેલામાં વહેલી તકે આપ ખરીદી ચાલુ કરો એ સહુના હિતમાં છે. કોરોના લોકડાઉન માં ખેત પેદાશો હેરફેર, ફાર્મ મશીનરી અને તેનું રીપેરીગ, આવશ્યક માલસામાન ઉત્પાદન તથા વાહનો માં હેરફેરમાં રાજ્ય સરકાર દ્વારા છુટ અપાઈ છે ત્યારે, જે કોઈ મિત્રો/સાથીઓને આવી કંપનીઓ સાથે સંપર્ક હોય તો એમને સક્રિય કરવામાં મદદ કરે એવી ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરતો સાગરભાઈ રબારી નો સંદેશ ખેડૂતો ને આર્થિક મજબૂતી આપશે અને ગુજરાત માં ખેતી નો નવો અધ્યાય સાબિત થશે.
Image
ખેડુતો ની ખેતપેદાશ વેચાણ, મજુર, પશુપાલક, શ્રમજીવીઓ, બેરોજગારો, લઘુઉદ્યોગ ને આર્થિક સહયોગ કરો. ગુજરાત જનચેતના પાર્ટી ની ગુજરાત સરકાર ને કરાઈ રજુઆત. તા.8 એપ્રિલ, ગાંધીનગર. કોરોના મહામારી સામે લડવા દેશ માં લોકડાઉન કરવાથી ગુજરાત રાજ્ય નાં જનહીત માટે ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા મુખ્યમંત્રીશ્રી ને પત્ર પાઠવી ખેડુતો ની ખેતપેદાશ વેચાણ વ્યવસ્થા કરવા, મજુર, પશુપાલક, શ્રમજીવીઓ, બેરોજગારો લઘુઉદ્યોગ ને આર્થિક સહયોગ કરવા તથા ઉચ્છ અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે યોગ્ય નિર્ણય કરવા ની રજુઆત કરવામા આવી છે. 1) ખેડૂતો ને પોતાની ખેત પેદાશો વેચવા માટે મહાનગરો તથા મોટા શહેરો માં વોર્ડ વાઈઝ ત્રણ થી ચાર હાલ ખાલી પડેલ જગ્યા પર ખેડૂત હાટ બનાવી પોલીસ રક્ષણ સાથે વ્યવસથા કરો. 2) મહાનગરો તથા મોટા શહેરો માં ફાળવેલ ખેડુત હાટ સ્થળ સુધી ખેત પેદાશ પહોંચાડવા હેર ફેર કરવા ગામના તલાટી મંત્રી ની મંજુરી દાખલા કાઢી આપો. 3) રેશનકાર્ડ ધારક એવા 56 લાખ પરીવારો ને વિના મુલ્યે ફાળવેલ અનાજ રાશન માં હલકી ગુણવત્તા ના જથ્થા માં સુધારા સાથે રેશનકાર્ડ હોશ છતાં પૂરવઠો ન મળેલ તેમજ રેશનકાર્ડ વિહોણા જરૂરીયાત મંદ પરીવારો ને ઝડપથી મફત રાશન ફાળવો. 4) કીસાન યોજના મુજબ ખેડુતો ના બેંક ખાતા મા જમા થયેલ નાણાં મુજબ શ્રમજીવી કુંભાર, વાળંદ, બાબર, મોચી, દરજી, લુહાર, સુથાર, માલધારી, ખેતમજુરો, રત્નકલાકારો તથા રિક્ષા વાહન મજુરો ને કેશડોલ થી નાંણા ફાળવો. 5) રાજ્ય નાં બેરોજગાર યુવાનો ને સ્પે. પેકેઝ જાહેર કરી તત્કાળ રોજગારી ભથ્થુ ફાળવો. 6) માધ્યમિક, ઉ. માધ્યમિક તથા સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓ લોકડાઉન ના કારણે પોતાના અભ્યાસ વર્ષ અંગે ચિંતિત છે, પ્રાથમિક ના વિદ્યાર્થિઓ ની જેમ આવા વિદ્યાર્થિઓ ને ભવિષ્ય ની ચિંતા અંગે નિર્ણય જાહેર કરો. 7) રાજ્ય નાં લઘુઉદ્યોગ ધંધાર્થીઓ માટે વિશેષ રક્ષણાત્મક પેકેઝ ફાળવો. સાત મુદ્દા રજૂઆત માં દેશ અને રાજ્ય નાં જરૂરીયાત મંદ લોકો ની ગુજરાત જનચેતના પાર્ટી ને ધ્યાને આવેલ સમસ્યા ને નિવારવા મુખ્યમંત્રીશ્રી અંગત રસ દાખવે અને જનહીત ની માંગણીઓ સંતોષશે એવી રાષ્ટ્રીય અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડા ની રજૂઆત સફળ થશે તો રાજ્ય ની ગરીબ જનતાને ખૂબ સહયોગ મળશે.
Image
જનચેતના પાર્ટીએ આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાની સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર પર વિનામૂલ્યે માસ્ક વિતરણ થાય એવી મુખ્યમંત્રી પાસે માંગણી કરી આજરોજ જનચેતના પાર્ટી ના યુવા અધ્યક્ષ શ્રી દિવ્યેશ ચાવડા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને એક પત્ર લખી ને હાલની કોરોના વાઇરસ ની મહામારી ને ધ્યાને લઈને સાવચેતી ના પગલાં રૂપે સરકાર દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ શરૂ કરવા, આ સૂચના દરેક સમાચાર માધ્યમો માં પ્રસારિત કરવા અને બજારમાં ચાલતા માસ્ક ના કાળા બજાર અટકાવવા માટે મુખ્યમંત્રી શ્રી પાસે માંગણી કરી છે
Image
खुशखबर / लगातार नौवें साल विलंब के बाद मानसून की विदाई के आसार
Image